Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

શંકર ચૌધરી બનાસ ડેરી અને વાવમાં નવા વર્ષના રામરામ કરશે

રાજકોટ : બનાસડેરીના ચેરમેન અને રાજયના પૂર્વ મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી નૂતનવર્ષે સોમવારે સવારે ૯-૦૦થી ૧૧-૦૦ દરમ્યાન બનાસ ડેરી પાલનપુર ખાતે ઉપસ્થિત રહી જિલ્લા દૂધ ઉત્પાદકો, સહકારી આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોને મળીને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓની આપલે કરશે. જયારે સાંજે ૪-૩૦ વાગે માર્કેટયાર્ડ, વાવ ખાતે યોજાનાર વાવ વિધાનસભા મત વિસ્તારના નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં પણ ઉપસ્થિત રહી નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવશે.

(3:19 pm IST)