Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

કેવડિયામાં મુખ્યમંત્રી રૂપાણીએ રિસોર્ટનું કર્યું લોકાર્પણ આરોગ્યવન અને -રિવર રાફ્ટિંગની લીધી મુલાકાત

પીએમના આગમન પૂર્વે તમામ પ્રોજેક્ટો અને એકતા પરેડ અંગેનું નિરીક્ષણ કર્યું

કેવડિયામાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ BRG એકોમોડેશન સ્ટે,એકતા દ્વારા અને સરદાર સરોવર રિસોર્ટનું લોકાર્પણ કર્યું હતું, સાથે આરોગ્ય વન, રિવર રાફટિંગની મુલાકાત કરી હતી. વધુમાં તેમને જણાવ્યું હતું કે દિવાળીની રજાઓમાં 5 લાખ થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત આવે, તેના માટે પ્રવાસીઓને રાહત દરે રહેવા મળે એવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે. ત્યારે તેમાં વિવિધ પ્રોજેક્ટો ખુલ્લા મુકશે, જે તમામ પ્રોજેક્ટો અને એકતા પરેડ યોજાવાની છે. જેનું પણ નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય મંત્રી વિજયભાઈ  રૂપાણીનું BRG ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂપાણીએ આ વિવિધ લોકાર્પણો કરી પ્રવાસીઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા ગણાવી હતી.

(11:06 pm IST)