Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

રાજપીપળા માં નહેરૂયુવા કેન્દ્ર દ્વારા સરદાર ટાઉન હોલથી આંબેડકર ભવન સુધી “ફ્રિડમ રન” યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાય જયંતિના ભાગ રૂપે આજે તા.૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ને શનિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે નહેરૂયુવા કેન્દ્ર દ્વારા રાજપીપલા ના સરદાર ટાઉન હોલથી સફેદટાવર, લીમડા ચોક, સંતોષ ચોકડી, ગાંધી ચોકથી આંબેડકર ભવન સુધીના રૂટ ના માધ્યમથી ફ્રિડમ રન યોજાઇ હતી.આ કાર્યક્રમ દરમિયાન નર્મદા જિલ્લાના સન્માનીય વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમ નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ યુથ કોર્ડીનેટર વી.બી.તાયડે એ જણાવ્યું હતું.

(10:56 am IST)