Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વડોદરાની મધ્યથ જેલમાં હત્યાના ગુનાહનો કેડી જામીન મેળવ્યા બાદ ફરાર થઇ જતા તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરમાં ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલ અને વડોદરાની મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો કેદી વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઈ જતા જેલરે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગોધરાના વેજલપુર રોડ પર આવેલ ભૂખરીની વાડી ખાતે રહેતો અબ્દુલ્લા ઈસ્માઈલ ઘાંચી વિરૂદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી હતી અને તે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો.

દરમિયાન કોરોના મહામારીના પગલે હાઇકોર્ટ દ્વારા ત્રીસ દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ગત તારીખ 11 9 2020 ના રોજ કેદીને પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે હાજર નહીં થતાં જેલર પી પી પાંડોરે કેદી વિરૂદ્ધ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(5:31 pm IST)