Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમદાવાદના બોપલમાં આપઘાત કરનાર યુવકના મૃત્યુને જાણવાની પોલીસે તજવીજ હાથ ધરી:યુવકના મિત્રોની પોલીસ કરશે પૂછપરછ

અમદાવાદ: શહેરના બોપલમાં રહેતા અને એસ.જી.હાઈવે પરની એક ફાર્મા કંપનીમાં નોકરી કરતા વિક્રમસિંગ એચ.મીણાના આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી, એમ પોલીસે કહ્યું હતું. તેના માતાપિતા અને બહને મૃતદેહ લેવા આવ્યા ત્યારે ધુ્રસ્કે ધુર્સકે રડી પડયા હતા. અઠવાડિયા પહેલા પુત્રએ પોતાની સાથે વાત કરી હતી પણ તેણે કોઈ તકલીફ અંગે કહ્યું હતું, એમ તેની માતાએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે હવે આપઘાતનું કારણ જાણવા મૃતકના મિત્રોની પુછપરછ કરશે. બોપલમાં મેરી ગોલ્ડ ફ્લેટમાં રહેતા વિક્રમસિંગ મીણા(૩૨) ૨૪ સપ્ટેમ્હરના રોજ પોતાના છઠ્ઠા માળના ફ્લેટની બારીમાંથી પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. બોપલ પોલીસે તેના પરિવારને જાણ કરતા તેના માતા પિતા અને બહેન રાજસ્થાનથી મૃતદેહ લેવા આવ્યા હતા. દિકરાનો મૃતદેહ જોઈને માતાપિતા અવાચક થઈ ગયા હતા અને રડી પડયા હતા. દિકરાએ પગલું શા માટે ભર્યું તેની તેમને પણ કંઈ ખબર નથી, એમ કહ્યું હતું. વિક્મસિંગની માતાએ પોલીસને કહ્યું હતું કે અઠવાડિયા પહેલા દિકરા સાથે તેમની વાત થઈ હતી. પરંતું તેણે સામાન્ય વાત કરી હતી અને કોઈ તકલીફ બાબતે કહ્યું હતું

(5:12 pm IST)