Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ખાદી-પોલીવસ્ત્ર પર ૨૦ ટકા વળતર

૨ ઓકટોબરથી ૩૧ ડીસેમ્બર સુધી અમલઃ ખાદીને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય

ગાંધીનગર, તા.૨૬: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે આ વર્ષે તા. ર ઓકટોબર-ર૦૧૯ થી તા. ૩૧ ડિસેમ્બર-ર૦૧૯ દરમ્યાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર ર૦ ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે.

ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદી વપરાશ અને ખાદી ખરીદી પ્રત્યે આકર્ષાય તેમજ રાજયમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે માટે આ સંવેદનાસ્પર્શી નિર્ણય શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે.

મહાત્મા ગાંધીજીએ ખાદીને એક વસ્ત્ર નહિ, વિચાર તરીકે સમાજ સમક્ષ પ્રસ્તુત કરી ગ્રામીણ પરિવારો-કારીગરોને રોજગારીથી આર્થિક સક્ષમતાનો જે માર્ગ કંડાર્યો છે તેમાં આ વિશેષ વળતર-પ્રોત્સાહન આપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય સુસંગત બની રહેવાનો છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત રાજયમાં જ ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રનું ગ્રાહકોને સીધું છૂટક વેચાણ કરતી માન્ય સંસ્થાઓ/મંડળીઓએ ગ્રાહકોને ર૦ ટકાનું વિશેષ વળતર બજાર પ્રોત્સાહન સહાય આપવાનું રહેશે.

એટલું જ નહિ, આવી સંસ્થાઓને આના પરિણામે જે રકમ મળે તેમાંથી પ ટકા સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ કરાવાશે.ઙ્ગ

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાતમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી ૧૬પ જેટલી સંસ્થાઓ દ્વારા ખાદી તેમજ પોલીવસ્ત્રનું લગભગ રૂ. ૧૩૬ કરોડ જેટલું છૂટક વેચાણ થવાનો અંદાજ છે. ર૦૧૯-ર૦ના આ નાણાંકીય વર્ષમાં ૧૯ હજાર જેટલા ખાદી વણાટ-કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળવાનો છે.

(3:25 pm IST)