Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

શામળાજી નજીક મેરાવાડા ગામે પાણીમાંથી પસાર થતી સ્મશાન યાત્રા :લોકો ઘુંટણસમા પાણીમાં ચાલવા મજબુર

ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા : નિકાલની કોઈ કાર્યવાહી નહિ કરાઈ

 

અરવલ્લીના શામળાજી નજીકના મેરાવાડા ગામે પાણીમાંથી પસાર થતી સ્મશાન યાત્રાનો વિડિઓ વાયરલ થયો છે જેમાં  સ્મશાન યાત્રા સાથે મોટી સંખ્યામા સ્થાનિકો પાણી વચ્ચેથી પસાર થતાં માં જોવા મળી રહ્યાં છે. ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ઘુંટણસમા પાણીમાં ચાલવા મજબુર બન્યા હતા. ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરી રહ્યાં છે. છતાં તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યાં છે.

(2:04 pm IST)