Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

સાબરમતી જેલના ૧૨ કેદીઓની કોરોનાની સારવાર ચાલુ : બે કર્મી.ઓના હાર્ટએટેકથી મોત

રાજકોટ, તા. ૨૫ : અમદાવાદની સાબરમતી જેલના ૫૪ કેદીઓ અને ૧૬ જેલના કર્મચારીઓ અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાંથી હાલમાં ૧૨ કેદીઓ સારવાર હેઠળ છે. અન્યો કોરોના મુકત થયાનું જાણવા મળે છે. આજ સુધીમાં કોઈ નવા કેસ નથી.

છેલ્લા કેટલાક દિવસથી જેલના સ્ટાફમાં ચિંતાની સ્થિતિ વ્યાપક બની રહી છે. એક જ સપ્તાહમાં જેમાં ફરજ બજાવતા એક એસઆરપી કર્મચારી અને એક જેલના કર્મચારીનું મૃત્યુ થયુ હતું. આ બંનેના મોત હાર્ટએટેકથી આવ્યા હોવાનું ચર્ચાય છે.

(2:57 pm IST)