Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

છત્રાલમાં હત્યા કેસમાં પાંચ શંકમંદની અટકાયત :કડી સજ્જડ બંધ

મુખ્ય આરોપી પકડાઈ નહીં ત્યાં સુધી લાશ નહિ સ્વીકારવા પરિવારજનોને નીર્ધાર

ગાંધીનગરના કલોલના છત્રાલ ખાતે હત્યા કેસમાં પાંચ શકમંદની અટકાયત કરાઈ છે.જોકે પરિવારજનોએ મૃતક અશોક પટેલનો મૃતદેહ સ્વિકારવામાં આવ્યો નથી.આજે પણ પાટીદાર સમાજના લોકો અને મહિલો હોસ્પિટલ એકઠા થઈ રહ્યા છે.

 છત્રાલ ગામે તેમજ હોસ્પિટલ ખાતે સ્થિતિ વણસે નહી તે માટે બંને સ્થળે સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મૃતકના પરિજનોએ જ્યાં સુધી મુખ્ય આરોપી કાલુ મિયા પકડાઇ નહીં ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાનો નિર્ધાર કર્યો છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલો થાળે પાડવાની કોશિષ કરી છે.અશોક પટેલની હત્યા કેસમાં કડી શહેરમાં લોકોએ બંધ પાળ્યુ છે

  અશોક પટેલની હત્યાને લઈને પોલીસે અટકાયત કરેલા પાંચ શકમંદોને અજ્ઞાત સ્થળે ખસેડાયા છે. તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

(1:59 pm IST)