Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વડોદરામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર માટે તડામાર તૈયારી: સુરક્ષામાં 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે

વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 3 જૂનના રોજ દિવ્ય દરબારનું આયોજન

વડોદરા : બાબા બાગેશ્વરથી જાણીતા બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં છે. ગઇકાલે વટવામાં દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પછી તેઓ સુરત જવા રવાના થયા હતા. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 3 જૂનના રોજ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. ત્યારે સુરક્ષાને લઈને વડોદરા પોલીસ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.

વડોદરા એડિશનલ પોલીસ કમિશ્નર, DCP સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમની રૂપરેખા તથા કાર્યક્રમ સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. સાથે સાથે આયોજન સમિતિના સદસ્યો સાથે ચર્ચા પણ કરી. મહત્વનું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કાટેગરીની સિક્યુરિટી આપવામા આવી છે. કાર્યક્રમ સ્થળ પર સુરક્ષામાં 500થી વધુ પોલીસકર્મીઓ તહેનાત રહેશે.

(8:30 pm IST)