Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ગુજરાત દલિત એકતા સમિતિ દ્વારા કાલે અમદાવાદમાં દલિત મહાસંમેલન

અમદાવાદઃ ગુજરાતમાં દલિતો માટે કામ કરતી વિવિધ સંસ્થાઓને સંગઠિત કરાવના આશયથી ગુજરાત દલિત એકતા સમિતિની રચના કરવામાં અવી છે. જેના દ્વારા દલિતો- પીડિતો- વંચિતો ઉપર વધતા અત્યચારો સામે સંગઠિત થઈ જાગૃતિ લાવવાના આશયથી કાલે તા.૨૭ રવિવારે બપોરે ૧૨ વાગે દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, કાંકરીયા, ફુટબોલ ગ્રાઉન્ડ સામે, અમદાવાદ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલન અંગે માહિતી આપતા આયોજકો નટુભાઈ પરમાર (પ્રમુખ), મોહનભાઈ પુરબીયા, રામજીભાઈ રાઠોડ, નિતીનભાઈ મારૂ, મીનાબેન મકવાણા, લક્ષ્મીબેન વાઘેલા, ગોપાલભાઈ ચૌહાણએ જણાવ્યું કે આ સંમેલનનાં પ્રમુખ સ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ  ચાવડા, મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ મહામંત્રી વિજયભાઈ દવે, રાજસ્થાન કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ સાંગીલાલ વર્મા, પી.કે.વાલેરા, સુનિલભાઈ વાઘેલા (વાલ્મિકી એકતા મંચ) બનાસકાંઠા જીલ્લાનાં પંચાયતના સભ્ય દિનેશભાઈ પરમાર અને બાવળાના કોર્પોરેટર પ્રવિણભાઈ ચૌહાણ ઉપસ્થિત રહેશે.(

(4:08 pm IST)