Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

પ્રાંતિજમાં અંબાવાડામાં એક જ બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો: છથી વધુ લોકોને ઇજા

પ્રાંતિજમાં વરઘોડા દરમિયાનમાં કાર અથડાવાની અદાવતે બીજા દિવસે મામલો બિચક્યો:બે જૂથ વચ્ચે પથ્થર થતાં ગામમાં નાસભાગ મચી

સાબરકાંઠાના પ્રાંતિજમાં અંબાવાડામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારાની ઘટના બની છે. જેમાં વરઘોડા દરમિયાનમાં કાર અથડાવાની અદાવતે બીજા દિવસે મામલો બિચક્યો હતો. તેમજ બે જૂથ વચ્ચે પથ્થર થતાં ગામમાં નાસભાગ મચી ગઇ હતી. આ પથ્થરમારાની ઘટનામાં 6 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ આ ઘાયલ લોકોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. જો કે આ ઘટના બાદ પ્રાંતિજ અને હિંમતનગરની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ આ ઘટના વધુ વકરે નહિ તે માટે અંબાવડા ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(12:15 am IST)