Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

શ્રી મહાપ્રભુજી ના 545 માં પ્રાક્ત્યોત્સવ દિવસ નિમિત્તે રાજપીપળા શ્રીનાથજી હવેલી ખાતેથી શોભા યાત્રા નિકળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે મહાપ્રભુજીના 545 માં પ્રાક્ત્યોત્સવ દિવસ નિમિત્તે આજે શ્રીનાથજી હવેલી ખાતેથી  એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી

રાજપીપળા શહેરમાં વૈષ્ણવ સમાજ અવાર નવાર ધાર્મિક તેમજ સેવાકીય કાર્યો કરે છે જેમાં આજરોજ મહાપ્રભુજીના 545 માં પ્રાક્ત્યોત્સવ દિવસ નિમિત્તે રાજપીપળાની શ્રીનાથજી હવેલી ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શહેર ના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને વૈષ્ણવ સમાજના અગ્રણીઓ અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રભુજી નો પ્રાક્ત્યોત્સવ દિન રંગે ચંગે ઉજવ્યો હતો.

(10:07 pm IST)