Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19 નવા કોરોના કેસ નોંધાયા અને સાથે વધુ 13 દર્દીઓ સાજા થયા :રાજયમાં આજે પણ કોઈ કોરોના દર્દીનું મૃત્યુ નથી નોંધાયું: રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,943: કુલ 12,13,234 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1,23,967 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા : રાજયમાં હાલમાં 99 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 19 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 13 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,234 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.943 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.10 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાનતું રહેતા આજે રાજયમાં વધુ 1.23.967 લોકોનું  રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,74.09.720 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 99 એક્ટિવ કોરોનાના કેસ છે અને આ તમામ 99 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 19 કેસમાં અમદાવાદ શહેરમાં 11 કેસ,વડોદરા શહેરમાં 5 કેસ, અમદાવાદ, આણંદ અને ગાંધીનગરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:19 pm IST)