Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

મનપાના પદાધિકારીઓ ગાંધીનગરમાં : મંત્રી - મુખ્‍યમંત્રી સાથે બેઠક

આજી રિવરફ્રન્‍ટ, રામનાથ મહાદેવ મંદિરના પરિસરની વિકાસ યોજના તથા મવડી વિસ્‍તારમાં નિર્માણ પામનાર ઇન્‍દોર સ્‍ટેડિયમ સહિતના કામો માટે નાણાકિય સહાય સહિતની બાબતોની ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને હર્ષ સંઘવી સાથે ચર્ચાઃ મેયર પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા મ્‍યુ. કમિશનર અમિત અરોરાની ઉપસ્‍થિતિ

રાજકોટ તા. ૨૬ : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને મંત્રી હર્ષ સંઘવી સાથે મ.ન.પા.ના મેયર સહિતના પદાધિકારીઓ ગાંધીનગર ખાતે રાજકોટના વિવિધ વિકાસકામોની સમીક્ષા બાબતે બેઠક યોજાનાર છે.
આ અંગે સત્તાવાર પ્રાપ્‍ત વિગતો મુજબ આજે સાંજે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે રાજકોટ મ.ન.પા.ના મેયર સહિતના પદાધિકારીઓને મળવા માટે સમય ફાળવ્‍યો છે.
આથી આજે સાંજે મેયર પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તેમજ મ્‍યુ. કમિશનર અમિત અરોરા સી.એમ. હાઉસ ખાતે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને રૂબરૂ મળનાર છે.
આ બેઠકમાં શહેરના આજી રિવરફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ, રામનાથ મહાદેવ મંદિર પરિષરની વિકાસ યોજના તથા વોર્ડ નં. ૧૨માં નિર્માણ પામનાર ઇન્‍ડોર સ્‍ટેડિયમ સહિતના વિકાસકામો બાબતે તેમજ નાણાકીય (ગ્રાન્‍ટ) સહાય વગેરેની ચર્ચા વિચારણા થવાની શક્‍યતા છે.

 

(4:10 pm IST)