Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વડાપ્રધાન મોદી સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ-2022નું કરશે ઇ-ઉદ્ધાટન

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મનસુખભાઈ માંડવીયા સહિતના ઉપસ્થિત રહેશે હાજર રહેશે.

સુરત :આગામી 29, 30 અને પહેલી 1 મેના રોજ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ-2022નું ઇ-ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા કરવામાં આવશે. આ બિઝનેસ સમીટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ તેમજ મનસુખભાઈ માંડવીયા પણ હાજર રહેશે. સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આ સમીટ યોજાવાની છે.

આ સમીટમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ ,બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ હાજર રહેશે. આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીયલના જુદા જુદા સેક્ટર્સના પ્રદર્શન યોજાશે. આ સમીટમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરસોત્તમ રૂપાલા, અનુપ્રિયા પટેલ અને સમગ્ર રાજ્યના મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે.

(12:18 am IST)