Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

વડોદરાના કારેલીબાગમાં ફ્લેટમાં ચાલતા કુટણખાનામાં પાંચ શખ્સોની ધરપકડ: અદાલતે જામીન અરજી નામંજૂર કરી

વડોદરા: શહેરના કારેલીબાગના એમ.આઈ.જી.ફલેટમાં ચાલતા કૂટણખાનાના કેસમાં પકડાયેલા પાંચ દલાલોની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીઓ મુંબઈ, સુરત, કોલકત્તા તથા બાંગ્લાદેશથી કોલગર્લને વડોદરા બોલાવી દેહવ્યાપારનો ધંધો કરતા હતા.

આ અંગેની વિગત એવીછે કે મૂળ કોલકત્તાના ગામ ડીઆરા  ખાતે  રહેતા ઈમ્તીયાઝ ઉર્ફે એમતાજ ઉર્ફે  ખન્ના ઉકીલભાઈ શેખે કારેલીબાગ બુધ્ધદેવ કોલોનીના એમ.આઈ.જી. ફલેટમાં મકાન ભાડે રાખી દેહવિક્રયનો  ધંધો શરૃ કર્યો હતો. આ મકાન આરોપી બિજેન્દ્ર ઓમપ્રકાશ ગુપ્તા (મૂળ રહે.યુ.પી.)એ રાખ્યુ હતુ. આરોપીઓએ મુંબઈ, સુરત, કલકત્તા અને બાંગ્લાદેશમાંથી કોલગર્લ્સને બોલાવી ભાડાના આ મકાનમાં રાખી હતી. શહેરમાં સક્રિય અન્ય દલાલો પણ ઈમ્તીયાઝ સાથે મોબાઈલ પર સંપર્કમાં રહીને યુવતીના ફોટાઓની આપ-લે કરતા હતા. અને ગ્રાહકને જે છોકરી  પસંદ પડે  તેની સાથે ભાવતાલ નક્કી કરીને મોકલતા હતા.

(5:24 pm IST)