Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સુરતના આરકેટી માર્કેટ યાર્ડ નજીક 60 વર્ષીય શખ્સનું કોરોનથી મૃત્યુ નિપજતા આસપાસના વિસ્તારમાં ક્વોરેન્ટાઇનના બોર્ડ લગાવવામાં આવ્યા

સુરત: શહેરના આરકેટી માર્કેટમા કામ કરતા 62 વર્ષીય કોરોના પોઝિટિવ વ્યક્તિનું મૃત્યુ થયું છે. અત્રે નોંધનીય છે કે આરકેટી માર્કેટમાં કામ કરતાં વેપારી છેલ્લા 15 દિવસોથી ટેક્સટાઈલ માર્કેટમાં અવરજવર કરતા હતા. 

જેના કારણે તેમના સંપર્કમાં આવેલા અન્ય વેપારીઓ તથા કારીગર વર્ગને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે આરકેટી માર્કેટ નજીક ડુંભાલ પરવટ ગામમાં આવેલી નેમિનાથ સોસાયટીમા રહેતા 17 ટેક્સટાઇલ વેપારીઓની યાદી સુરત મહાનગરપાલિકાને સત્તાધીશોને આપવામાં આવી છે.

જેના પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ નેમિનાથ સોસાયટીના ગેટ પર ક્વોરન્ટાઈન વિસ્તારના બોર્ડ આજથી લગાવી દેવામાં આવ્યા છે જેથી આરકેટી માર્કેટની બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતા 17 વેપારીઓના પરિવારોને હાલમાં ક્વોરન્ટાઈનના 14 દિવસનો સમયગાળા દરમિયાન ઘરમાં જ રહેવાની તાકીદ કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.

(5:54 pm IST)