Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભરૂચમાં બે બાળકો અને પત્નીની હત્યા કરી પતિએ પોતાના ગળે ચપ્પુના ઘા માર્યા:આત્મહત્યાનો કર્યો પ્રયાસ:ચકચાર

અગમ્ય કારણોસર જગદીશે બે બાળકો અને પત્નીને તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા

ભરૂચમાં બે બાળકો અને પત્નીની હત્યા કરીને પતિએ પોતાના  ગળે ચપ્પુના ઘા ઝીકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો છે પોલીસે બબ્બે હત્યા અને આત્મહત્યાના પ્રયાસ અંગે તપાસ હાથ ધરી છે.

  આ અંગે જાણવા મળતી વિગત મુજબ ભરૂચનાં તુલસીધામ વિસ્તારમાં આવેલી રંગ કૃપા સોસાયટીનાં મકાન નંબર એ-71માં છેલ્લા કેટલાંક સમયથી જગદીશ મકવાણા બે બાળકો અને પત્ની સાથે રહેતા હતા આજે સોમવારે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર જગદીશે બે બાળકો અને પત્નીને તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં પોતે પણ ગળા ઉપર ચપ્પુના ઘા મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં સ્થળ ઉપર પડેલા હત્યારાને હાલ તો સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ આ ત્રિપલ મર્ડરની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી મૂક્યો છે.

(1:18 am IST)