Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સુરતની સિવિલ હોસ્પિટલમાં હેલ્થ સર્ટિફિકેટ માટે અમરનાથ યાત્રીઓ ઉમટી પડ્યા

અમરનાથ યાત્રીઓનું હેલ્થ ચેકઅપ કરી સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ થતા લાઈનો લાગી

સુરત ;સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રીઓનું હેલ્થ ચેકઅપ કરી સર્ટિફિકેટ આપવાની કામગીરી શરુ કરાઈ છે જેમાં રોજ મોટી સંખ્યામાં અમરનાથ યાત્રીઓ ઉમટી પડતા લાઈનો લગાવી હતી.નવી સિવિલ હોસ્પિટલ ખાતે હિમોફિલીયા વિભાગમાં અમરનાથ યાત્રીઓનું હેલ્થ ચેકઅપ કરી સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ થઇ છે જેમાં અમરનાથ યાત્રામાં જવા માટે ઈચ્છુક 13 વર્ષથી વધુ અને 75 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓનું હેલ્થ ચેકઅપ કરી તેમને હેલ્થ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે

(12:02 am IST)