Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જેગુઆર લેન રોવર તેના નેટવર્કનું કરે છે વિસ્તરણ

અમદાવાદ,તા.૨૬: નવજીવન લકઝરી કારનો સુરતમાં જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાના ઓથોરાઈઝડ રિટેલર તરીકે નિમણૂંક કરી છે. આના દ્વારા તેઓ ભારતમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યા છે. નવજીવન લકઝરીકાર દ્વારા સ્ટેટ-ઓફ- ધ- આર્ટ- મલ્ટી લેવર ૩એસ (સેલ્સ, સર્વિસ અને સ્પેરપાર્ટ્સ) સુવિધા જેનું ઉદ્ઘાટન રોહિત સુરી, પ્રેસિડેન્ટ, અને માર્કેટિંગ ડિરેકટર, જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા લિ., હિતેન્દ્ર ગજજર, ડિરેકટર અને દિપક ગજજર, ડિરેકટર, નવજીવન લકઝરી કાર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

 આ ડિલરશીપ સુવિધાને વેચાણની ઉચ્ચ ગુણવત્તા અને આફટર સેલ્સ સર્વિસની સુવિધા પૂરી પાડવા માટે ડિઝાઈન અને સાધન સંપન્ન કરવામાં આવી છે, જેમાં જેગુઆર અને લેન્ડ રોવર પોર્ટફોલિયોની તમામ રેન્જનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુવિધામાં સંગઠિત સર્વિસ વર્કશોપ અને ૧૨ સર્વિસ બે જેવા સ્ટેટ- ઓફ- ધ- આર્ટથી સાધન સંપન્ન આ વર્કશોપમાં ટેકનિશિયન અને અન્ય સર્વિસ વ્યકિતઓ જેવા અત્યંત ઉચ્ચ તાલિમી સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(3:50 pm IST)