Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજ્યમાં કોરોનાના વધુ 1,114 દર્દીઓ સ્વસ્થ થયા : નવા 910 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 6 લોકોના મોત : મૃત્યુઆંક 4268 થયો : કુલ 2,25,206 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,40,115 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 191 કેસ, સુરતમાં 153 કેસ, વડોદરામાં 138 કેસ, રાજકોટમાં 93 કેસ, ગાંધીનગરમાં 33 કેસ, ખેડામાં 32 કેસ, દાહોદ અને ભાવનગરમાં 23-23 કેસ, જૂનાગઢમાં 21 કેસ, મહેસાણામાં 20 કેસ, જામનગર અને ભરૂચમાં 17-17 કેસ, કચ્છમાં 16 કેસ નોંધાયા : હાલ 10,631 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 910 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 1,114 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસો બાદ સતત નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 910 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1114 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,40,115 થઇ છે જયારે આજે વધુ 1114 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,25,206 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 6 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4268 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 93,79 થયો છે

  રાજ્યમાં હાલ 10,631 એક્ટિવ કેસ છે. જેમાંથી 62 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 10,569 દર્દીઓ સ્ટેબલ છે, છેલ્લ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 56,970 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 93,30,491 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3 ,સુરત કોર્પોરેશનમાં 2 અને રાજકોટમાં 1 મળીને કુલ 6 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 910 પોઝિટિવ કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 191 કેસ, સુરતમાં 153 કેસ,વડોદરામાં 138 કેસ, રાજકોટમાં 93 કેસ, ગાંધીનગરમાં 33 કેસ,ખેડામાં 32 કેસ,દાહોદ અને ભાવનગરમાં 23-23 કેસ, જૂનાગઢમાં 21 કેસ,મહેસાણામાં 20 કેસ,જામનગર અને ભરૂચમાં 17-17 કેસ,કચ્છમાં 16 કેસ નોંધાયા છે

(7:32 pm IST)