Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમદાવાદ જિલ્લાના 8500 યુવાનોને એપ્રેન્ટિસ કરાર પત્રો એનાયત કરતા મુખ્યમંત્રી

અયોધ્યામાં રામ, યુવાનોને કામ અને ખેડૂતોને દામ આપવાનું કાર્ય ભાજપ સરકારનો નિર્ધાર

અમદાવાદમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ  રૂપાણીએ સમગ્ર જિલ્લાના 8500 યુવાનોને એપ્રેન્ટિસ કરાર પત્રો એનાયત કર્યા હતા.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટસ ખાતે આઈટીઆઈના વિદ્યાર્થીઓને એપ્રેન્ટીસ તાલીમ યોજનાના પત્ર આપ્યા હતા.અને કહ્યું હતું કે અયોધ્યામાં રામ, યુવાનોને કામ અને ખેડૂતોને દામ આપવાનું કાર્ય ભાજપ સરકારનો નિર્ધાર છે.

(8:39 pm IST)