Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમીરગઢના ચેખલા નજીક કારનું ટાયર ફાટતા દાદા-દાદી મોતને ભેટ્યા:પૌત્રનો આકસ્મિક બચાવ થયો

અમીરગઢ:ના ચેખલા પાસે રાજસ્થાનના જાલોરથી અમદાવાદ થઈ રહેલા પરિવારની કારનુ ટાયર ફાટી જતા તેમાં સવાર બે વૃધ્ધના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે પૌત્રનો આબાદ બચાવ થયેલ છે. 

દર્દનાક બચાવની હકીકત એવી છે કે  રાજસ્થાનના જાલોરથી મોહિતકુમાર કૈલાસચંદ શર્મા તેઓના દાદા તથા દાદીને દવાખાનામાં ચેકઅપ કરાવવા માટે અમદાવાદ જવા રવાના થયેલ હતો. 
તેઓ સોમવારના સાત વાગ્યાના સુમારે અમીરગઢ થી પાલનપુર વચ્ચે ચેખલા ગામ પાસેના હાઈવેના ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક તેઓની કારનુ ટાયર ફાટી થતા કારને કાબુમાં લઈ ન શકતા કાર પુલ પરથી નીચે ખેતરોમાં પલટી ખાઈ પડી હતી. 

(4:39 pm IST)