Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

વડોદરામાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો : બે દિવસમાં ડેન્ગ્યૂના નવા 33 કેસ અને ચિકનગુનિયાના 11, તાવના 568 કેસ નોંધાયા

કોર્પોરેશનની ટીમોએ 19 હજાર ઘરોનો સર્વે કર્યો : 2 કન્સ્ટ્રકશન સાઈટ અને એક સ્કૂલને નોટિસ ફટકારી

વડોદરા: શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે જે કારણે બે દિવસમાં ડેન્ગ્યૂના નવા 33 કેસ નોંધાયા છે જ્યારે ચિકનગુનિયાના 11, તાવના 568 કેસ સરકારી ચોપડે નોંધાય ચૂક્યા છે. વધતાં રોગચાળાને ડામવા કોર્પોરેશનની ટીમોએ 19 હજાર ઘરોનો સર્વે કર્યો છે અને 2 કન્સ્ટ્રકશન સાઈટ અને એક સ્કૂલને નોટિસ પણ ફાટકારવામાં આવી છે.

(8:40 pm IST)