Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

રાજ્યમાં કોરોનાની વિદાય વેળાએ નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 17 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એક દર્દીનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 10.080 : કુલ 8.15.108 લોકોએ કોરોનાને હરાવ્યો: રાજ્યમાં આજે વધુ 3.46.880 વ્યક્તિઓને રસીના ડોઝ અપાયા

સુરતમાં 6 કેસ,દાહોદમાં 5 કેસ, અમદાવાદ અને વડોદરામાં 2-2 કેસ,ગાંધીનગર અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો:હાલમાં 159 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

>અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 17 દર્દીઓ રિકવર થયા છે
 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 17 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.108 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત થયું છે  ,રાજ્યમાં મૃત્યુઆંક 10080 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે આજે જામનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે
 રાજ્યમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.46.880 વ્યક્તિઓને રસીનાં ડોઝ અપાયાએ છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4.39.78.413 રસીના ડોઝ અપાયા છે
  રાજ્યમાં હાલ 159 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 154 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.108  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 
   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 17 કેસમાં સુરતમાં 6 કેસ,દાહોદમાં 5 કેસ, અમદાવાદ અને વડોદરામાં 2-2 કેસ,ગાંધીનગર અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો છે
 
 
(8:10 pm IST)