Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

કાલે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની નિબંધ સ્પર્ધાના પરિણામ જાહેર કરાશે

રાજકોટ તા.૨૫ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત GLS લૉ કોલેજના લૉ ફેકલ્ટી દ્વારા યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની નિબંધ સ્પર્ધાના પરિણામો જાહેર કરવાનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આવતીકાલે તા. ૨૬ ઓગસ્ટના રોજ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સવારે ૧૧.૪૫ કલાકે યોજાશે. 

આ નિબંધ સ્પર્ધા પરિણામ જાહેર કાર્યક્રમમાં GLS યુનિવર્સિટીના પ્રમુખશ્રી સુધિર નાણાવટી સહિત GLS લૉ કોલેજના ફેકલ્ટી, આસિટન્ટ પ્રોફેસર ઉપસ્થિત રહેશે.

 

(4:52 pm IST)