Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વડોદરામાં જુદા-જુદા ત્રણ વિસ્તારમાંથી તસ્કરોએ 4.50 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:શહેરના જેતલપુરરોડ તેમજ તાંદલજા અને આજવારોડ વિસ્તારમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો ત્રણ બંધ મકાનના તાળા તોડી સાડા ચાર લાખથી વધુની મતાની ચોરી કરી ગયા હતા.

શહેરના જેતલપુર રોડ પર નાલંદા એપાર્ટમેન્ટમાં રહેતા મોહનભાઈ ઠાકોરદાસ વજીરાણી બંધ મકાનને ગત ૧૬થી ૨૧મી તારીખના સવારના સમયગાળામાં તસ્કરાએ  નિશાન બનાવ્યું હતું. તેઓએ મકાનના મુખ્ય દરવાજાની નકુચાડીના કડી અને ઈન્ટરલોક તોડી નાખી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી -કબાટમાંથી સોના-ચાંદી અને હિરાના દાગીના તેમજ રોકડા ૪૯ હજાર સહિત કુલ ૨.૨૫ લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવની ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:26 pm IST)