Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાજ્યમાં કોરોના ટાઢો પડ્યો : નવા 3250 કેસ નોંધાયા : વધુ 9676 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 44 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 9665 થયો : કુલ 7.22.741 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે 2.28.810 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 522 કેસ, વડોદરામાં 462 કેસ, સુરતમાં 423 કેસ, રાજકોટમાં 215 કેસ, જૂનાગઢમાં 202 કેસ, આણંદમાં 121 કેસ, જામનગરમાં 103 કેસ, બનાસકાંઠામાં 104 કેસ,ખેડામાં 98 કેસ, ભાવનગરમાં 95 કેસ, કચ્છમાં 97 કેસ, અમરેલીમાં 96 કેસ, પંચમહાલમાં 93 કેસ, ગાંધીનગરમાં 73 કેસ, મહેસાણામાં 65 કેસ, વલસાડમાં 62 કેસ, સાબરકાંઠામાં 41 કેસ, ભરૂચ અને ગીર સોમનાથમાં 39 -39 કેસ, પોરબંદરમાં 38 કેસ, અરવલ્લી અને નર્મદામાં 37-37 કેસ, મહીસાગરમાં 35 કેસ નોંધાયા : હાલમાં 62,506 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં 3250 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 9676 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 3250 કેસ નોંધાયા છે જયારે વધુ 9676 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 7,22,741 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 44 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 9665 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 90, 92 ટકા થયો છે

  રાજ્યમાં હાલ 62.506 એક્ટિવ કેસ છે, જેમાંથી 603 લોકો વેન્ટિલેટર પર અને 61.903 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 7.22.741 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

 રાજ્યમાં આજે વધુ 2.28,810 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે આ સાથે રાજ્યમાં કુલ 1,58.30.183 લોકોનું રસીકરણ થયું છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 3250 કેસમાં અમદાવાદમાં 522 કેસ, વડોદરામાં 462 કેસ, સુરતમાં 423 કેસ, રાજકોટમાં 215 કેસ,જૂનાગઢમાં 202 કેસઆણંદમાં 121 કેસ, જામનગરમાં 103 કેસ, બનાસકાંઠામાં 104 કેસ,ખેડામાં 98 કેસ, ભાવનગરમાં 95 કેસ કચ્છમાં 97 કેસ, અમરેલીમાં 96 કેસ, પંચમહાલમાં 93 કેસ, ગાંધીનગરમાં 73 કેસ, મહેસાણામાં 65 કેસ,વલસાડમાં 62 કેસ, સાબરકાંઠામાં 41 કેસ,ભરૂચ અને ગીર સોમનાથમાં 39 -39 કેસ, પોરબંદરમાં 38 કેસ,અરવલ્લી અને નર્મદામાં 37-37 કેસ, મહીસાગરમાં 35 કેસ નોંધાયા છે

 

(7:45 pm IST)