Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સુરતના પાર્લે પોઇન્ટ નજીક રહસ્યમય સંજોગોમાં યુવાનનું મોત નિપજતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના પાર્લે પોઇન્ટ ખાતે રવિવારે બપોરે યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતુ. તેના ગળા પર દબાાણ આવવાથી મોત થયુ હોવાનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ બહાર આવ્યુ હતુ.

નવી સિવિલથી મળેલી વિગત મજુબ પાર્લે પોઇન્ટ ખાતે પ્લેટેનિયમ એપાર્ટમેન્ટમાં રહેતો ૨૫ વર્ષીય વિશાલ ઉતમભાઇ સુરવાડે રવિવારે બપોરે ઘરમાં રહસ્યમંય સંજોગોમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો.  સાંજે પોલીસજવાનની સુચનાથી ડોક્ટરે પોસ્ટ મોર્ટમ રૃમમાં મૃતદેહ ચકાસ્યો તો  તેના ગળાના ભાગે નિશાન દેખાયા હતા. બાદમાં મેડીકલ ઓફિસરે ફોરેન્સીક વિભાગના ડોકટરોને પોસ્ટમોર્ટમ કરવા રિફર કર્યુ હતુ.પોલીસ સુત્રોએ કહ્યુ કે વિશાલ ઘરના દરવાજા પાસે પડી જવાથી બેભાન થઇ ગયો હોવાની તેના પરિવારે હિસ્ટ્રી આપી છે.  આજે સવારે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ કે તેના ગળાનાં ભાગે દબાણ આવતા મોત થયુ હતુ. ગળાના ભાગે દોરી જેવી વસ્તુનુ નિશાન હતુ.નોધનીય છે કે સિવિલના મેડીકલ ઓફિસરે ગત સાંજે ફોરેન્સીક વિભાગમાં તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોડો રીફર કરતા તેમના સંબંધીઓને  હાલાકી વેઠવી પડી હતી. જેના કારણે પી.એમ આજે કરવાનો વારો આવ્યો હતો. વિશાલ મુળ મહારાષ્ટ્રના બુલદાણાનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તે વોચમેન હતો.આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ઘરી છે.

 

(4:51 pm IST)