Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આધેડવયના પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

અમદાવાદ:અમદાવાદ- મોડાસા રાજ્ય ધોરીમાર્ગ ઉપરના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોઝડ પંથકમાંથી આધેડવયના એક પુરૂષની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.

બિનવારસી હાલતમાં કોઇક અગમ્ય કારણોસર મોતને ભેેટેલ એક પુરૂષની લાશ પડી હોવાની જાણ આખરે સરપંચ દ્વારા તલોદ પોલીસ સુધી પહોંચતા હે. કોન્સ. કનુભાઇ દેસાઇ વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અજાણ્યા પુરૂષની લાશ અંગે પોલીસે તેના વાલી વારસોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કરતા આખરે મૃતકની વાલી-વારસો મળી આવ્યા હતા. જેઓએ મૃતકની ઓળખ આપી હતી. જે મુજબ મરનારનું નામ રાઠોડ સોમાભાઇ શાહભાઇ હોવાનું અને કપડવંજ તાલુકાના દેજરોટાનો હોવાનું જાણવા મળ્યું હતું. તે ખેતમજૂરી કરવા આ તરફ આવ્યો હતો. જે કેટલાક દિવસોથી કામના સ્થળેથી અળગો રહ્યો હતો. જેનું કોઇક અગમ્ય કારણોસર આકસ્મિક મોત નિપજ્યું હતું જેનો મૃતદેહ તેના સ્વજનોને સોંપી દેવામાં આવ્યો હતો.

(4:47 pm IST)