Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કાલથી બે દિવસ સૌરાષ્ટ્રના વાવાઝોડા ગ્રસ્ત જીલ્લાઓની મુલાકાતે

રાજકોટઃ તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જીલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે ભાજપના પ્રદેશ પ્રમુખ આવતીકાલે આવી રહયા છે. જેમાં સવારે ૮ વાગ્યે તેઓ અમદાવાદ  એરપોર્ટ પરથી રવાના થશે અને ૯ વાગ્યે દિવ એરપોર્ટ અને ૯:૩૦ વાગ્યે ઉના પહોંચશે. ત્યારબાદ ૧૨ વાગ્યા સુધી ઉનાના વિવિધ ગામોની મુલાકાત લેશે. ૧૨:૩૦ વાગ્યે સોમનાથ બાગ ઉના ખાતે ભાજપ અગ્રણીઓ સાથે બેઠક યોજશે. ત્યાંથી ૧:૩૦ વાગ્યે જાફરાબાદ જશે. સાંજે ૭ વાગ્યા સુધી વિવિધ ગામોની મુલાકાત લઇ રાજુલાના મુખ્ય કાર્યકરો સાથે બેઠક યોજશે. ૭:૩૦ મહુવા જશે. અને તા.૨૭ના સવારના ૯:૩૦ વાગ્યે મહુવા ત્યારબાદ જેસર, પાલીતાણા, શિહોર થઇ અને સાંજે ૪:૩૦ વાગ્યે ભાવનગર પહોંચશે અને  ત્યાંથી સુરત જવા રવાના થશે. તેઓની આ મુલાકાત દરમિયાન ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, મહેન્દ્રભાઇ સરવૈયા, પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, સાંસદ ભારતીબેન શિયાળ સહિત સ્થાનીક ધારાસભ્યો અને જીલ્લા તથા મહાનગરના પ્રમુખશ્રીઓ જોડાશે.

(4:22 pm IST)