Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વાવાઝોડા વખતની વીજ કર્મચારીઓની કામગીરી ઝળહળતીઃ ભરત પંડયા

રાજકોટ તા. રપ :.. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ભરત પંડયાએ તાઉતે વાવાઝોડા વખતની વીજ કર્મચારીઓની કામગીરીને બીરદાવી છે.

ભરત પંડયાએ જણાવ્યુ છે કે તાજેતરમાં વાવાઝોડા વખતે રાજયના ૯૬૮પ ગામોમાં વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. ૪ર૦૦ થી વધુ કર્મચારીઓ વિજળી પુરવઠો પુનઃ સ્થાપિત કરવા સખ્ત પરિશ્રમ કર્યો હતો. અંધારપટ્ટ થયેલ ગામડાઓમાં એકદમ ગણતરીના દિવસોમાં અજવાળા પાથરવા બદલ ઉર્જા વિભાગના તમામ ઉજાવાન કર્મચારીઓને સો...સો...સલામ કરું છું.

(4:20 pm IST)