Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

નર્મદા જિલ્લામાં સોમવારે ૩૮ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૧૪૦ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં ચિત્રકૂટ સોસાયટી ૦૧, રાજેન્દ્રનગર ૦૨, સિવિલ હોસ્પિટલ ૦૧, રામબાગ ૦૧, વિશ્વકર્મા મંદિર ૦૧, છત્રવિલા ૦૧, ચિત્રકૂટ ૦૧, રાજપીપલા ૦૧, હરસિદ્ધિ નગર ૦૨, નરસિંહ ટેકરી ૦૧ તથા નાદોદ તાલુકામાં કરાઠા ૦૨, ભદામ ૦૨, ચિત્રાવાડી ૦૨, ગામકુવા ૦૧, પાટણા ૦૧, ઉમરવા ૦૩ , વડીયા ૦૧, નાવરા ૦૧, નાદોદ ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં કેવડિયા ૦૫, ધાવડી ૦૧, ખડગદા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં વોરા ૦૧, સાહેબપુરા ૦૧, નમારીયા ૦૧, કંથરપુરા ૦૧, કાંદલેજ ૦૧  ડેડીયાપાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી, સાગબારા તાલુકામાં એક પણ કેસ નોંધાયેલ નથી  જિલ્લામાં કુલ ૩૮ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૨ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૩૮ દર્દી દાખલ છે.આજે ૩૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૮૬૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૧૪૦ પર પહોચ્યો છે.આજે વધુ ૧૪૨૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:19 pm IST)