Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

જીતનગર બાર ફળીયાનો બાધામાં ગયેલ યુવાન કરજણ નદીમાં સ્નાન કરતા ડૂબી જતા મોતને ભેટ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર બાર ફળીયાનો યુવાન નદીમાં સ્નાન કરવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થતા તેનું મોત નીપજ્યું હતું.
  પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ભીખાભાઇ જેઠાભાઇ વસાવા(રહે . ચીત્રાવાડી તા.નાંદોદ)એ આપેલી ખબર મુજબ શાંતીલાલભાઇ ભીખાભાઇ વસાવા (ઉ.વ .૨૯)  23 મેં ના રોજ બપોરે 3 વાગે જીતનગર બારફળીયા ગામે આવેલ કાળીયાબુત મામાના મંદિરે બાધામા ગયેલા તે વખતે ત્યા આવેલ કરજણ નદિમા જતા પાણીમા સ્નાન કરવા પડતા પગ લપસી જતા તે ઉંડા પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હોય રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:09 pm IST)