Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરતના અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું :રાજ્યભરમાં તપાસનો ધમધમાટ :બિલ્ડીંગો અને ક્લાસીસ પર તવાઈ

સુરતના સરથાણામાં બિલ્ડિંગની આગે ટ્યુશન કલાસીસના 21 વિદ્યાર્થીઓનો ભોગ લીધા બાદ તંત્ર સફાળું જાગ્યું છે રાજ્યભરમાં વિવિધ શહેરોમાં તંત્ર દ્વારા તપાસ ઝુંબેશ હાથ ધરાઈ છે

 ફાયર વિભાગ અને તંત્ર દ્વારા ટ્યૂશન ક્લાસિસ અને બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરી હતી. અને ફાયર સેફ્ટી વગરના ટ્યૂશન ક્લાસિસોને શીલ પણ માર્યા હતા. સુરતની ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે.

  રાજ્યમાં અમદાવાદ,વડોદરા,મહેસાણા,રાજકોટ,

પાટણ,પાલનપુર સહિતના શહેરોમાં તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરાયુ છે અને ફાયર સેફટીના સાધન સુવિધાની ચકાસણી કરીને નોટિસો પાઠવાઈ છે

(8:55 pm IST)