Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સુરતમાં તબીબના બંગલામાંથી 35 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરી તસ્કરો છૂમંતર

સુરતઃ રાંદેર વિસ્તારમાં આવેલી નવયુગ કોલેજની પાછળ એક તબીબના બંગલામાં ચોરી થઈ છે. વિદેશ ગયેલા પરિવારના સભ્યો પરત આવતાં ઘરમાંથી 35 લાખથી વધુની રૂપિયાની ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ડોગ સ્ક્વોર્ડ સહિત ફિંગર પ્રિન્ટ સહિતના વિભાગો સાથે વધુ તપાસ હાથ ધરી છે.

રાંદેર વિસ્તારમાં નવગયુગ કોલેજની બાજુમાં જીવન વિહાર સોસાયટીમાં રહેતા મનોજ મોહન શર્મા નામના તબીબ ગત 14મીના રોજ પરિવાર સાથે ફ્રાંસ ગયાં હતાં. તેઓ ગઈકાલે રાત્રે પરત ફર્યાં હતાં. ઘરમાં પરત ફરતાંની સાથે જ અસ્તવ્યસ્ત સામાન જોઈને તેઓ ચોરી થઈ હોવાની આશંકામાં મુકાયા હતાં. સાથે ઘરમાંથી ગુમ થયેલા 12 હજાર યુરો, 7 લાક રોકડા અને 50 તોલા સોનાના દાગીના સહિતનો સામાન ચોરી થયો હોવાનું માલૂમ પડતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જેથી રાંદેર પોલીસ, ડિસીબી, પીસીબી અને ફિંગર પ્રિન્ટ સહિત ડોગ સ્ક્વોર્ડ સહિતના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

(6:21 pm IST)