Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

વડોદરાના આજર રોડ નજીક પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડતા લખો લીટર પાણીનો જથ્થો વેડફાયો

વડોદરા:શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાછળના વિસ્તારમાંથી પસાર થતી પાણીની લાઈન માંછેલ્લા ચાર દિવસથી ભંગાણ પડયું હોવા છતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા સમારકામ નહીં થતા લાખો લિટર પાણી વેડફાઇ રહ્યું છે.

વડોદરા શહેર એક બાજુ સ્માર્ટ સિટી બનાવવાના પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ લોકોને પૂરતી સુવિધા આપવામાં કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.

વડોદરા શહેરમાં આડેધડ થતા ખોદકામને કારણે અવાર નવાર પાણી ડ્રેનેજ ગેસ લાઇનમાં ભંગાણ પડવાના કિસ્સા રોજ-બરોજના થઈ ગયા છે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. ચાર દિવસ અગાઉ આજવા રોડ સરદાર એસ્ટેટ પાછળના વિસ્તારમાંથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. તેમ છતાં કોર્પોરેશનનું તંત્ર સમારકામ માટે ઉદાસીનતા દાખવી રહ્યું છે.

(5:22 pm IST)