Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

નર્મદાની શ્રી સાઈ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રૂંઢ-ભીલવાડા ની પ્રા. શાળાના ૧૦૧ બાળકોને ધાભળા વિતરણ કરાયા

'રાજપીપળાના મોદી પરિવાર દ્વારા કાર્યરત સંસ્થાની સાચા અર્થમાં માનસેવા: આકરી ઠંડીમાં ગરીબ બાળકોને ધાબળા અપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના રૂંઢ-ભીલવાડાની પ્રા. શાળા ના ૧૦૧ બાળકોને નર્મદા જિલ્લાની શ્રી સાઈ માનવ સેવા ટ્રસ્ટ સંસ્થા દ્વારા વિતરણ કરાયા ધાબળાનું વિતરણ કરાતા હાલ પડી રહેલી આકરી ઠંડીમાં વિનામૂલ્યે ધાબળા મળતા ગરીબ બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો.     સંસ્થાના પ્રમુખ જનકભાઈ મોદી, મંત્રી ભરતભાઇ વ્યાસ, ખજાનચી શંકરભાઇ પટેલ સહિત સંસ્થાના ટ્રસ્ટીઓ પૈકી વિરલભાઈ પટેલ, રાજુભાઇ મોદી,વિહાર મોદી સહિત રાજપીપળાના મોદી પરિવારે ધાબળા વિતરણ કર્યા હતા.

  મોદી પરિવાર દ્વારા કાર્યરત આ સંસ્થા સાચા અર્થમાં માનસેવાના કર્યો કરતી હોય આકરી ઠંડીમાં ગરીબ બાળકોને ધાબળા અપાતા ઠંડી સામે રક્ષણ મળતા બાળકો અને શાળા પરિવારમાં ખુશી જોવા મળી હતી.

(4:51 pm IST)