Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

બળાત્કાર કેસ મામલે ડભોલી સ્વામીનારાયણ મંદિરના સંન્યાસી નિકુંજ સ્વામીની ધરપકડ

મહિલાને આર્થિક મદદ કરવાના બહાને બોલાવી મંદિરના સ્વામીઍ બે વખત બળાત્કાર કર્યો હતો

સુરત, ડભોલી ચાર રસ્તા સ્વામીનારાયણ મંદિરમાં જ સાધુ નિકુંજ ઉર્ફે કારણ સ્વરૂપદાસ બાબુભાઈ સવાણીઍ ૨૦ વર્ષીય યુવતી ઉપર બબ્બે વખત બળાત્કાર ગુજારતા સ્વામીનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો કતારગામ પોલીસે વાસનાલોલુપ ૨૪ વર્ષીય સાધુની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

    કતારગામ પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ ડભોલી ચાર રસ્તા સ્વામીનારાયણ મંદિરના સાધુ નિકુંજ ઉર્ફે કારણ સ્વરૂપદાસ બાબુભાઈ સવાણી ઉ.વ.૨૪ વિરૂદ્ધ ૨૦ વર્ષીય યુવતીઍ બળાત્કારની ફરિયાદ નોîધાવી હતી. પીડિતા ફરિયાદી યુવતીઍ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી સાધુઍ ફરિયાદી પીડિતાની માતાની આંગળીઅોના અોપરેશન માટે રૂપિયા આપશે તેવી વાતો કરી સાધુઍ ફરિયાદીને અઠવાડીયા પહેલા તથા ગઈકાલે મંદિરે બોલાવી ઍક રૂમમાં લઈ જઈ બળાત્કાર ગુજારી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી

    . આ બનાવ અંગે પીડિતાઍ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોîધાવતા પીઆઈ ઍમઆઈ પઠાણે તુરંત ફરિયાદ નોîધી સાધુ નિકુંજ ઉર્ફે કારણસ્વરૂપ દાસ બાબુભાઈ સવાણીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

(12:42 am IST)