Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કવિ વિનોદ જોષીને મોરારીબાપુના હસ્તે નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

અમદાવાદ :ગુજરાતી કવિ વિનોદ જોષીને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરાયો હતો. મોરારીબાપુના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.સાથે 1.51 લાખની ધનરાશીથી પણ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અનેક સાહિત્યકાર ઉપસ્થિત રહ્યા હતા

   કવિ વિનોદ જોશીના અસંખ્ય ગીતો સ્વરબદ્ધ થયાં છે. અને આ ગીતોએ વિશ્વમાં ફેલાયેલા ગુજરાતીઓને ગાતા કરી મૂક્યા છે. કવિ વિનોદ જોષી મુળ અમરેલીના બોરિંગડા ગામના વતની છે.

(11:30 pm IST)