Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રાજ્ય સરકારે 51 તાલુકાઓ જાહેર કર્યા અછતગ્રસ્ત: સહાય ડિસેમ્બરથી મળશે

સબકમિટીની બેઠકમાં મહેકમની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા

અમદાવાદ :રાજ્ય સરકારે 250 મીલીમીટરથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. જોકે તેમને ડિસેમ્બરથી સહાય મળશે.સરકારે સબકમિટીની બેઠકમાં અછતની ચર્ચા કરી હતી

   અછતની સામગી પહોચાડવામાં માટે મહેકમની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા થઈ હતી  તમામ અછતગ્રસ્ત તાલુકાઓમાં રાહતની સામગ્રી જલ્દી પહોંચે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત બાકીના જે તાલુકાઓમાં રજુઆત આવી છે તે ધારાધોરણ પ્રમાણે કામ કરશે તેમ મહેસુલ પ્રધાને કહ્યું છે.

(8:33 pm IST)