Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

યુવા ભાજપના ૩૫૦૦ કાર્યકરો હૈદ્રાબાદ જશેઃ રાજકોટ-અમદાવાદથી ખાસ ટ્રેન

રાજકોટ : ભાજપ યુવા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન તા. ૨૬ થી ૨૮ હૈદ્રાબાદમાં યોજાનાર છે. ગુજરાત યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલના જણાવ્યા મુજબ રાજયમાંથી ૩૫૦૦ થી વધુ કાર્યકરો અધિવેશનમાં ભાગ લેવા જશે. જેના માટે બે સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટથી અને અમદાવાદથી ટ્રેન ઉપડશે.  આ બે શહેરો ઉપરાંત માર્ગના મોટા શહેરોમાંથી કાર્યકરો ટ્રેનમાં જોડાશે.

રાજકોટથી હૈદ્રાબાદ રેલ માર્ગે ૩૦ કલાકનો રસ્તો છે. ફુડ પેકેટ સહિતની સઘળી વ્યવસ્થા કાર્યકરોએ જ કરી છે. ગુજરાતમાંથી યુવા મોરચાના કાર્યકરો સ્પેશ્યલ ટ્રેન મારફત અન્ય રાજયમાં અધિવેશનમાં ભાગ લેવા જતા હોય તેવો પ્રથમ પ્રસંગ છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે.(૧.૧૭)

(3:47 pm IST)