Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

આનંદનગરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આનંદનગર: શહેરમાં રહેતી પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. સાસરીયાઓ યુવતીના પિયરમાં જાણ કર્યા વિના મૃતદેહ લઈને તેમના વતન રાજસ્થાન જતા રહ્યા હતા. અંગે મૃતકની માતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ રાજસ્થાનમાં રહેતા સબુબહેન કે નનમા(૪૦)ની દિકરીમોનીકાના લગ્ન ૨૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ રાજસ્થાનમાં શંકર ધનજીભાઈ મીણા (૨૦)સાથે થયા હતા. લગ્ન બાદ દંપતી આનંદનગરમાં સુર્યાનગરના છાપરામાં રહેવા આવ્યા હતા.જ્યાં શંકરના માતાપિતા અને ભાઈ સાથે રહેવા લાગ્યા હતા

લગ્ન બાદ મોનીકા ફક્ત એકવાર રક્ષાબંધન વખતે રાજસ્થાનમાં માતાને ઘરે ગઈ હતી. તે સમયે મોનીકા રડવા લાગી હતી. માતાએ કારણ પુછતા મોનીકાએ પતિ નાની નાની વાતે ઝઘડા કરી મારઝુડ કરતો હોવાથી સાસરીમાં નથી, એમ કહ્યું હતું. જોકે લગ્નના પાંચ મહિના થયા હોવાથી મોનીકાને સમજાવતા તે સાસરે જવા તૈયાર થઈ હતી.

(5:04 pm IST)