Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

નર્મદા જિલ્લામાં ૦૮ નવા કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંકડો ૬૦૨ થયો : લોકોમાં ભયનો માહોલ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય જિલ્લામાં સોમવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના કાછીયાવાડ-૧,રાજપૂત ફળીયા-૦૧, ભાટવાડા-૦૧ જ્યારે નાંદોદ તાલુકાના આમલેથા-૦૧ વડીયા-૦૧ અને થરી ગામમાં-૧,જ્યારે ગરુડેશ્વરના કેવડિયા કોલોની માં-૦૨ કેસ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૬ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૫ દર્દીઓ દાખલ છે. આજે ૧૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૫૩૬ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૦૨ પર પહોચ્યો છે.આજે વધુ ૨૯૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(5:50 pm IST)