Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

નડિયાદના માઇમંદિર નજીક સાસરિયાના ત્રાસથી કંટાળી ડાકોરમાં જઈ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કરતા સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: શહેરના માઇમંદિર પાસે રહેતી એક પરણીતાએ સાસરીયાના ત્રાસથી ડાકોરમાં ઝેરી દવાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.સાસરીયા દ્વારા મારઝુડ કરાતી હોવાનું અને દહેજની માંગણી કરાતી હોવાથી પરણિતાએ પગલું ભર્યું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નડિયાદ શહેરના માઇમંદિર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા હિતેશ મીસ્ત્રી સાથે મિતલબેનના લગ્ન આશરે મહિના પહેલા થયા હતા.લગ્ન બાદ પતિ,સાસુ,સસરા,નણંદ નાની નાની વાતોમાં મિતલબેનને હેરાન કરતા હતા. ઉપરાંત પતી હિતેશભાઇ મિતલબેન સાથે મારઝુડ કરતા હતાઅને પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતા હતા.જેથી મિતલબેન કંટાળીને પિયર જતા રહ્યા હતા. પરંતુ તેમના પિતાએ તેમને સમજાવીને સાસરીમાં પરત મુકી ગયા હતા.

 

(11:29 am IST)