Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

પાલનપુરમાં રખડતા ઢોર અને તૂટેલા રસ્તાથી લોકો ત્રાહિમામ

પાલનપુરના માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ છે રખડતા ઢોર અને તૂટેલા રસ્તાઓ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે ગુરુનાનક ચોક નજીક અસંખ્ય ઢોરોને છોડી મુકાયા છે આ બાબતે નગરપાલિકા પણ બેદરકાર સાબિત થઈ છે. શહેરીજનો વાહનચાલકો પણ ત્રસ્ત બન્યા છે જેને લઈને હવે આ રખડતા ઢોરોને નિકાલની માંગ રહી છે.

  પાલનપુર નગરપાલિકા આ રખડતા ઢોર નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરતી નથી છેલ્લા કેટલાય મહિનાથી આ ઢોરો અડિંગો જમાવ્યો છે જેને લીધે અકસ્માત સર્જાય છે વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે પાલનપુરથી આબુરોડ અને ત્યાં હનુમાન ટેકરી પાસે પણ અસંખ્ય ઢોરો રસ્તા વચ્ચે જ અડિંગો જમાવ્યો છે જેને લઈને અકસ્માતો પણ સર્જાય છે

(9:38 pm IST)