Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

રાજદ્રોહના કેસમાં પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાના 27મી સાંજ સુધીના રિમાન્ડ મંજુર

-ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ કારણો રજુ કરીને વધુ 10 દિવસના રિમાન્ડ માંગી હતી

 

સુરત :રાજદ્રોહ કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાના 27 ઓગસ્ટ સાંજના ચાર વાગ્યા સુધીના વધુ રિમાન્ડ મંજૂર કરાયા છે. શુક્રવારે અગાઉના રિમાન્ડ પૂર્ણ થતા તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યા ક્રાઈમ બ્રાંચે વિવિધ કારણો રજૂ કરીને 10 દિવસના વધુ રિમાન્ડની માંગ કરી હતી.

  ક્રાઈમબ્રાંચની દલીલ છે કે આરોપીએ કયા કયા લોકો સાથે વાત કરી છે તથા સામે કોણ વ્યક્તિ છે તે માહિતી જણાવતો નથી. તેમજ પૂછપરછમાં પણ સહયોગ આપતો નથી. ઉપરાંત ભડકાઉ ભાષણ અને હિંસક બનાવો અંગેની તપાસ પણ જરૂરી હોવાનું ક્રાઈમ બ્રાચે રજૂઆત કરી છે.

 સામે બચાવ પક્ષ તરફથી દલીલ કરાઈ હતી કે પોલીસ જૂના મુદ્દાઓને રિમાન્ડ માટેના કારણ બનાવીને રજૂ કરી રહી છે. બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થતા કોર્ટે 27 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

(9:23 pm IST)