Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

અમદાવાદના સેટેલાઈટમાં જૂની અદાવતની રીસ રાખી યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા ત્રણને ઇજા

અમદાવાદ:સેટેલાઈટમાં જુની અદાવતને પગલે ચાર શખ્સોએ એક યુવક પર છરી અને ચપ્પાથી હુમલો કરીને તેની હત્યા કરી નાંખી હતી. બીજીતરફ ચાર પૈકી એક આરોપીની પત્નીએ ઝઘડો થતા મૃતક અને તેના સંબંધીઓ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. સેટેલાઈટ પોલીસે બન્ને પક્ષોની સામસામી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

સેટેલાઈટમાં રામદેવનગર સ્થિત વાલ્મિકી વાસમાં રહેતા મિલનભાઈ ઊર્ફે સંજય બાબુભાઈ વાઘેલાની ફરિયાદ મુજબ તે એસ.જી. હાઈવે પર આવેલી એક ઓફિસમાં નોકરી કરે છે. તેમની પડોશમાં રહેતા અમિત ચંદ્રકાંત રીઝાકરએ લાંભાગામમાં તારા શેઠની એક મકાનની સ્કિમમાં મકાન આપાવ એમ કહ્યું હતું. આથી મિલનભાઈએ તેને આ સ્કિમમાં૧૫ લાખમાં મકાન અપાવ્યું હતું. જેમાં અમિતે દોઢ લાખ ચુકવવાના બાકી હતી. મિલને અવારનવાર કહેવા છતા તેણે આ રકમ ચુકવી ન હતી.

 દરમિયાન ઊતરાણ વખતે અમિત મિલનના ઘરે આવ્યો હતો અને તેની પર ખોટો આક્ષેપ કર્યો હતો. બાદમાં અમિત અને તેના સંબંધીઓ મિલનને ધાકધમકી આપતા હતા.

(5:12 pm IST)