Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

29મી જુલાઈએ લેવાયેલી TAT ની પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ :શિક્ષક મુખ્ય સૂત્રધાર અને પાંચથી સાત લાખ લીધાના આક્ષેપથી ખળભળાટ

અમદાવાદ :ગત 29 જુલાઈના રોજ લેવાયેલી TAT ની પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે જેમાં અરવલ્લીના ધનસુરાના શિક્ષક અરવિંદ મંગળભાઈ પટેલ મુખ્ય સૂત્રધાર હોવાનો આક્ષેપ સાથે

ઉમેદવારો પાસેથી 5થી સાત લાખ લેવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે

  વધુમાં  ચિલોડા અને કોબા પાસેની હોટેલમાં 28 જુલાઈના રોજ રાતે પેપર લીક કરવામાં આવ્યું હતું અને ઉમેદવારો પાસેથી પૈસા લઈને પેપર સર્ક્યુલેટ કર્યું હતું તેમજ આ કૌભાંડમાં ખેડા જિલ્લાના શિક્ષકો પણ સામેલ હોવાનો આક્ષેપ થયો છે આ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડને પુરાવા સાથે ફરિયાદ કરાઈ છે જોકે પરીક્ષા બોર્ડ દ્વારા હજી સુધી પગલાં લેવાયા નથી

(1:01 pm IST)